Read Time:1 Minute, 19 Second
રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી રાષ્ટ્ર કલ્યાણના કાર્યો માટે ડૉ.સીમાબેન પટેલ દ્વારા હિન્દ રક્ષક સંઘ ની સ્થાપના કરવામાં આવી. હિન્દ રક્ષક સંઘ દ્વારા ગેરકાયદેસર ભારતમાં પ્રવેશતા લોકોને રોકવા અને આવા ઘૂસણખોરોને દેશમાંથી પરત મોકલવા માટે આંદોલનો કરવા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાતા અને દેશહિત માટેના બિલોને સમર્થન આપવું અને આવા બિલો પાસ કરાવવા માટે આંદોલનો કરવા, મહાપુરુષોની જન્મ જયંતીઓ ઉજવવી સાથે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી અને અન્ય રાષ્ટ્રીય પર્વોની ઉજવણીઓ કરવી, ધર્મ પરિવર્તન થતા અટકાવવા, જનસંખ્યા નિયંત્રણ બિલ, સી.એ.એ, એન.આર.સી જેવા કાયદાઓ બનાવવા માટે સરકારને સમર્થન આપવું અને આવા કાયદાઓ બનાવવા માટે આંદોલનઓ કરવા, કુદરતી આફતોમાં રાષ્ટ્રની સેવા કરવી એ હિન્દ રક્ષક સંઘ મુખ્ય ઉદ્દેશ રાખી સદૈવ રાષ્ટ્ર હિત માટે કાર્ય કરશે